બનાસકાંઠા: સરકારની જાહેરાત બાદ પણ સહાય ન મળતા ગૌ-સંચાલકોએ નોંધાવ્યો અનોખો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 11:07:55

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક આંદોલનકારીઓ પોતાની માગ સાથે સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. અનેક આંદોલનો સમેટાઈ ગયા છે. ત્યારે રાજ્યના ગૌ-સંચાલકોએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા સહાય હજી સુધી ન મળતા ગૌસંચાલકોએ ગાયોને છોડી મૂકી.

ગૌમાતાને રસ્તા પર છોડી નોંધાવ્યો વિરોધ

ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી હતી. થરાદના 92 જેટલી ગૌશાળા સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દેતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉપરાંત બનાસકાંઠામાં પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પણ પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવાની ચીમકી આપી હતી. ડીસામાં પણ આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુઓ સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લાખણી તાલુકામાં પણ ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી હતી.


ગૌ-સંચાલકોમાં ભારે રોષ

હજી સુધી સરકાર દ્વારા સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌસંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 500 કરોડના સહાયની જાહેરાત બાદ પણ તેની અમલવારી ન થતાં પશુઓને સરકારી કચેરી તરફ છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

બે હજારથી વધારે ગાયોને સરકારી કચેરી તરફ છોડી ગૌ-સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર ગાયો આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. 500 કરોડની ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તેવી પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોની માગ છે. સહાય નહીં મળે તે માટે લડત ચાલુ રાખવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.