યુરોપિયન સંસદે રશિયાને ‘આતંકવાદ ફેલાવતો દેશ’ જાહેર કર્યો, યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયને આવકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-24 10:25:30

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી યુદ્ધ યાલી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ થવાને કારણે વિશ્વના તમામ દેશો બે ભાગોમાં વેચાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ બધા વચ્ચે યુરોપિયન સંસદે રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરી દીધો છે. યુરોપિન સંસદે આ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાદ રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકેની ઘોષણા કરવામાં આવી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ નિર્ણયનું સમર્થન કર્યું 

રશિયાને આતંકવાદ સ્પોનસર દેશ તરીકેની જાહેરાત થતા યુક્રેનના રાષ્ટ્રપતિએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ સ્પોન્સર દેશ તરીકે જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ-અલગ કરી દેવું જોઈએ. અને યુક્રેન તેમજ દુનિયાભરમાં આતંકવાદ માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ.  


રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો છે - યુરોપિયન સંસદ 

યુરોપિયન સંસદ સભ્યોનું કહેવું છે કે યુક્રેનની નાગરિક વસતી પર રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો હતો. અને અત્યાચાર પણ ગુજાર્યું હતું. ઉપરાંત સભ્યોનું કહેવું છે કે મોસ્કોએ આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ યુદ્ધ કર્યું છે ઉપરાંત નાગરિક બુનિયાદી ઢાંચાનો વિનાશ કર્યો છે અને માનવાધિકારીઓનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે.    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.