ગૌતમ સિંઘાનિયા પાસે પત્નીએ 11,620 કરોડની સંપત્તીમાં માગ્યો 75% હિસ્સો, ઉદ્યોગપતિએ રાખી આ શરત


  • Published By :
  • Published Date : 2023-11-20 17:22:06

દેશના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા અને  તેમની પત્ની નવાઝ મોદી હવે અલગ થઈ ગયા છે. જો કે નવાઝ મોદીએ છુટાછેડા માટે ગૌતમ સિંઘાનિયા સમક્ષ મોટી શરત રાખી છે. તેમણે સિંઘાનિયાને કુલ પ્રોપર્ટીનો 75 ટકા હિસ્સો આપવાની માગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે પુત્રી નિહારિકા અને નિશા માટે આ માગ કરી છે. 


11,620 કરોડની છે પ્રોપર્ટી


મીડિયા રિપોર્ટ મુજબ ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડ રૂપિયાની પ્રોપ્રટીમાંથી બે પુત્રી અને પત્ની માટે 75 ટકા હિસ્સો આપવા પર સંમતી દર્શાવી છે. જો કે તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવાની માગ કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં તેમની પરિવારની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જો કે રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમના મોત બાદ તેમના પરિવારના સભ્યોને પ્રોપર્ટીની વસીયત કરવાની મંજુરી આપવામાં આવે. પરંતું સિંઘાનિયાની આ માગ તેમની પત્ની નવાઝને મંજુર નથી. 


13 નવેમ્બરે અલગ થવાની કરી હતી જાહેરાત


58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે એક ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે અમારી આ વર્ષની દિવાળી પહેલા જેવી નથી, એક કપલ તરીકે અમે 32 વર્ષ સાથે રહ્યા અને એકબીજાના મજબુત સાથી બની રહ્યા હતા. જો કે દિવાળીના દિવસે સિંઘાનિયાએ આપેલી ભવ્ય પાર્ટીમાં તેમની પત્ની કે પુત્રીઓ જોવા મળી નહોંતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે