બેવડી ઋતુ આવતા અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો થયો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:10:01

ઓક્ટોબર અને નવેમ્બર એટલે દરીયાઈ પવનો વહે છે અને નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. બેવડી ઋતુ હોવાના કારણે રોગચાળો આ સમયમાં વધારો ફેલાતો હોય છે ત્યારે અમદાવાદમાં શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત પાંચ દિવસોમાં ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાઈ ગયા છે. 


ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાયા

ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ટાઈફોઈડના 90થી વધુ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના 5 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ચિકન ગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના 244 જેટલા કેસ નોંધાયા છે. આ સમયગાળાની અંદર પાણીથી રોગચાળો વધારે ફેલાતો હોય છે, જેથી રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ સતત પાણીના સેમ્પલની તપાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને બેવડી ઋતુમાં તબીયત સાચવવાની રહેશે.  


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.