આતુરતાનો આવ્યો અંત.. EPFOએ 7 કરોડ EPF ધારકોના ખાતામાં જમા કરાવી વ્યાજની રકમ


  • Published By :
  • Published Date : 2023-11-11 15:02:41

દેશભરમાં લોકો દિવાળીના તહેવારની ઉજવણી માટે ઉત્સાહીત છે ત્યારે EPFOએ પણ  (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)ને નાણાકિય વર્ષ 2022-23 માટે EPF ખાતાઓમાં વ્યાજ જમા કરવવાનું શરૂ કર્યું છે. બેંક ખાતામાં વ્યાજની રકમ જમા થતા હવે EPF ખાતાધારકની કુલ રકમ વધી જશે. આ નાણાકીય વર્ષમાં ઈપીએફઓના ખાતાધારકને જમા રકમ પર 8.15 ટકા મુજબ વ્યાજ દર મળવાનો છે. ઉલ્લેખનિય છે કે  EPFOના આ નિર્ણયથી 7 કરોડ લોકોને લાભ થશે.  


EPFOએ આપી જાણકારી


સોશિયલ મીડીયા પર અનેક યુઝર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી EPFOને સવાલો પુછવામાં આવી રહ્યા છે. જેમાં સુબ્રત કુમાર દાસ નામના એક યુઝર દ્વારા પુછવામાં આવ્યુ હતું કે તેમના ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? તેનો જવાબમાં આપતા EPFOએ કહ્યુ હતું કે,  હાલમાં પ્રક્રિયા પાઈપલાઈનમાં છે, અને ટુંક સમયમાં દરેક ખાતાધારકના ખાતામાં વ્યાજની રકમ જમા કરી દેવામાં આવશે. મેમ્બરોએ ધીરજ જાળવી રાખે. નાણાકીય વર્ષ 2022-23 માટે સરકારે 8.15 ટકા પ્રમાણે વ્યાજ દર નક્કી કર્યો છે. આ વ્યાજ નાણાકીય વર્ષ 2022-23 માટેની છે અને તેને તરત ચેક કરી શકશો. ઉલ્લેખનિય છે કે, સરકારે આ નાણાકીય વર્ષ 2022-23 માટે EPF પર 8.15 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી કરેલ છે. તેમણે કહ્યું હતું કે, તમે જાણવા માંગતા હોય કે પીએફ ખાતામાં ક્યા મહિને કેટલુ પીએફ જમા થયું છે? તેમા કંપનીએ કેટલું યોગદાન આપેલુ છે?, કુલ કેટલી રકમ જમા છે ? આ ઉપરાંત આવી કેટલીક બાબતોની જાણકારી માટે તમે સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. 


કઈ રીતે જાણી શકાય PF બેલેન્સ?


PF બેલેન્સ ચેક કરવા માટે માત્ર એક SMS દ્વારા પણ જાણી શકાય છે. આ માટે EPFO એ નંબર બહાર પાડ્યો છે. તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. જેવો તમે SMS કરશો કે EPFO તમને તમારા પીએફ યોગદાન અને બેલેન્સ અંગે માહિતી ઘરે બેઠા સરળતાથી મેળવી શકાય છે. તે જ પ્રકારે SMSથી પણ જાણકારી મેળવી શકાય છે, SMS મોકલવાની રીત એકદમ સરળ છે, તેના માટે તમારે 'EPFOHO UAN' લખીને  7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓમાં અંગ્રેજી, પંજાબી, હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ અને બાંગ્લામાં જેવી ભાષામાં ઉપલબ્ધ છે. EPFOની વેબસાઈટ પરથી પણ બેલેન્સ ચેક કરી શકાય છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.