EPFO: કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યું


  • Published By :
  • Published Date : 2024-02-11 11:56:39

દેશની રિટાયરમેન્ટ ફંડ ઓથોરિટી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો.


શનિવારે CBTની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો  


માર્ચ 2022 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકા કરતાં ઓછો છે. આ 1977-78 પછી સૌથી નીચો હતો.  EPFOમાં નિર્ણયો માટે જવાબદાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ શનિવારે યોજાયેલી તેની બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ માટે વર્ષ 2023-24માં EPFO ​​માં વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. સીબીટીએ માર્ચ 2021માં EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કર્યો હતો.


EPFOએ લાગું કરી છે આ નવી જોગવાઈ


જાન્યુઆરીમાં, EPFOએ જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિએ વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન લાગુ કર્યું છે. આ હેઠળ, કર્મચારીના પગારના 12 ટકા માસિક ધોરણે EPF ખાતામાં જમા થાય છે અને તેટલું જ યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે અને બાકીના 8.33 ટકા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જમા થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે