EPF ખાતાધારકો માટે મોટા સમાચાર, નાણાકીય વર્ષ 22-23ની ડિપોઝિટ પર મળશે હવે આટલું વ્યાજ


  • Published By :
  • Published Date : 2023-07-24 17:29:13

નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2023 માટે 8.15 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. અગાઉ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ સરકારને આટલું વ્યાજ ચૂકવવાની ભલામણ કરી હતી. હવે, સરકાર વતી, નાણા મંત્રાલયે આનો સ્વીકાર કરીને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.


હવે કર્મચારીઓને મળશે 8.15 ટકા વ્યાજ


કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર વ્યાજ દર વધારીને 8.15 ટકા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણાકીય વર્ષ 21-22 માટે આ દર 8.10 ટકા હતો. અગાઉ માર્ચમાં, તેની બે દિવસીય બેઠકમાં, EPFOએ તેના સબ્સક્રાઈબર્સ માટે 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. આ પછી, 2022-23 માટે EPF ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવા માટે, તેને મંજૂરી માટે નાણાં મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારની મંજૂરી મળ્યા બાદ, 2022-23 માટે EPF પર વ્યાજ દર EPFOના 5 કરોડથી વધુ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.


EPFOના 5 કરોડ સબ્સ્ક્રાઇબર્સ


માર્ચ 2022 માં, EPFO ​​એ 2021-22 માટે તેના લગભગ પાંચ કરોડ સબ્સ્ક્રાઇબર્સના EPF (કર્મચારી ભવિષ્ય નિધિ) પરના વ્યાજ દરને ચાર દાયકાથી વધુના નીચા સ્તરે એટલે કે 8.1 ટકા પર લાવ્યું હતું. આ દર 1977-78 પછી સૌથી નીચો   8 ટકા વ્યાજ દર હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.