ટૂંક સમયમાં થઈ શકે છે 'દયા ટપ્પુ કે પાપા ગડા'ની એન્ટ્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:41:29

સોની સબ પર આવતી લોકપ્રિય બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વખત દયાભાભી દેખાઈ શકે છે. કોમેડી તેમજ ફેમિલી શો તરીકે તારક મહેતાએ પોતાની જગ્યા દરેક ઘરમાં બનાવી દીધી છે. દુનિયાને ઉંઘા ચશ્મા પુસ્તકથી પ્રેરાઈને આ સિરિયલની શરૂઆત થઈ હતી. અનેક વર્ષોથી પોતાના ચાહકોને મનોરંજન પૂરૂ પાડવામાં આ સિરિયલ સફળ થી થઈ છે. પંરતુ 2015થી દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ સિરિયલને અલવીદા કહીં દીધું હતું. ત્યારે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નવેમ્બર સુધીમાં દયાભાભીની વાપસી થઈ શકે છે.

After over 4 years, Dayaben to return on Taarak Mehta Ka Ooltah Chashmah,  confirms producer Asit Kumar Modi : Bollywood News - Bollywood Hungama


થોડા સમયમાં થશે દયાભાભીની વાપસી 

ગરબા તેમજ પોતાના અભિનયને કારણે દયાભાભીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. પરંતુ અંગત કારણોસર દયાભાભી (દિશા વાકાણી)એ સિરિયલને અલવિદા કહીં દીધું હતું. તે બાદ અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ પણ શોની બહાર નીકળી ગયા હતા. અનેક વર્ષોથી ચાલતી આ સિરિયલમાં અનેક પાત્રો બદલાયા છે. સોનુ, ટપ્પુ, સોઢી, અંજલીભાભી સહિતના અનેક કલાકારોએ આ શો છોડી દીધો હતો. મહેતા સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને અલવિદા કહી દીધું હતું. સિરિયલના મેકર્સે તેમનું રિપ્લેસ્મેન્ટ શોધી કાઢ્યું પરંતુ આટલા વર્ષોથી તેઓ દયાભાભી (દિશા વાકાણી)નું રિપ્લેસ્મેન્ટ શોધી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ પ્રોડક્શન ટીમની તેમની સાથે વાતચીત થઈ રહી છે. અને તેઓ ટૂંક સમયમાં જ, શોમાં પરત ફરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દયાભાભીની એન્ટ્રી થતા શોમાં હે મા માતાજી, એ હાલો સાંભળવા મળશે. ઉપરાંત અમદાવાદીના ગરબા પણ જોવા મળશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે