બેંગ્લુરૂથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 137 યાત્રિકો સવાર હતા


  • Published By :
  • Published Date : 2023-04-04 14:11:57

ઈન્ડિગોની ફ્લાઈટ (6E897)નું ઈમરજન્સી લેન્ડિંગ શમશાબાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 સવારે 5.10 વાગ્યે બેંગ્લોરથી વારાણસી જવા રવાના થઈ હતી, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે એરક્રાફ્ટને શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં કુલ 137 લોકો મુસાફરી કરી રહ્યા હતા. DCGAના જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં યાત્રા કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષીત છે. જો કે ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ગરબડને લઈ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તમામ મુસાફરો માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 


ફ્લાઈટનાં ઈમરજન્સી લેન્ડિંગને લઈ વિવિધ આશંકા


ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પાછળ વિવિધ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કહ્યું કે તમામ 137 મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ બેંગ્લોરથી વારાણસી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 1 એપ્રિલે દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. એલર્ટ જારી કર્યા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.