રાજ્યસભાની ત્રણ બેઠકો માટે નહીં યોજાય ચૂંટણી! કોંગ્રેસે ચૂંટણીને લઈ શા માટે લીધો આવો નિર્ણય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-07 16:47:41

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે. ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો છે જ્યારે ભાજપ પાસે 156 સીટો છે. આવી સ્થિતિમાં પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


18 ઓગસ્ટે આ ત્રણ નેતાનો કાર્યકાળ થાય છે પૂર્ણ    

ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેનું નોટિફિકેશન થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી ખેંચવાની આખરી તારીખ છે. પરંતુ આ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને નહીં ઉભા રાખે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાવાની છે. ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની ટર્મ પૂર્ણ થવાનો છે.  


ગુજરાત રાજ્યસભાની બેઠકો ભાજપના કબજે

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારાઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા હતા.  182માંથી 156 સીટો ભાજપને ફાળે ગઈ છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીછેહટ કરવામાં આવતા જે ભાજપના ઉમેદવારો છે તે બીન હરીફ ચૂંટાઇ શકે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.