રાજ્યસભાની ત્રણ બેઠકો માટે નહીં યોજાય ચૂંટણી! કોંગ્રેસે ચૂંટણીને લઈ શા માટે લીધો આવો નિર્ણય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-07 16:47:41

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે. ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો છે જ્યારે ભાજપ પાસે 156 સીટો છે. આવી સ્થિતિમાં પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


18 ઓગસ્ટે આ ત્રણ નેતાનો કાર્યકાળ થાય છે પૂર્ણ    

ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેનું નોટિફિકેશન થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી ખેંચવાની આખરી તારીખ છે. પરંતુ આ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને નહીં ઉભા રાખે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાવાની છે. ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની ટર્મ પૂર્ણ થવાનો છે.  


ગુજરાત રાજ્યસભાની બેઠકો ભાજપના કબજે

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારાઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા હતા.  182માંથી 156 સીટો ભાજપને ફાળે ગઈ છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીછેહટ કરવામાં આવતા જે ભાજપના ઉમેદવારો છે તે બીન હરીફ ચૂંટાઇ શકે છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!