અમૂલ ડેરીમાં યોજાઈ ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી, જાણો કોની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-02-14 12:14:23

અમૂલ ડેરીમાં આજે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી રામસિંહ પરમારનું શાસન હતું પરંતુ હવે ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી થતા અમૂલમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 


ચેરમેન તરીકે થઈ વિપુલ પટેલની વરણી 

ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલ ડેરીમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ પદ માટે ચાર દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી હતી જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, નડિયાદ વાળા વિપુલ પટેલ ઉપરાંત રંગાયપુર વાળા વિપુલ પટેલનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ચેરમેન પદ પર રામસિંહ પરમારનો દબદબો હતો. ત્યારે રામસિંહને પડકાર આપવા રંગાઈપુર તેમજ નડિયાદના વિપુલ પેટલ, રાજેશ પાઠક ભાજપના મોવડીમંડળ સાથે સંપર્કમાં આવ્યા. 


અમૂલમાં ભાજપની છે બહુમતી 

જે બાદ સોમવારે પાર્ટી મોવડીમંડે અમૂલના ભાજપના તમામ ડિરેક્ટરની મીટિંગ બોલાવી હતી અને ચેરમેન તેમજ વાઈસચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમૂલ ડેરીના ભાજપ સમર્પિત 11 બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે ચેરમેન તરીકે વિપુલ પટેલની તેમજવાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર, આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ 15 થતા હતા. જેમાં ભાજપ પાસે 11 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.