ઇલેક્શન ઈફેક્ટ? સિંગતેલના ડબ્બાનો ભાવ 40 રૂપિયા ઘટીને રૂ. 2585 થયો, હજુ પણ ઘટવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-11-22 14:59:04

દેશમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે, પાંચ રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી ખરાખરીનો ચૂંટણી જંગ થવાનો છે. કેન્દ્ર સરકાર સામે સૌથી મોટો પડકાર વધતી મોંઘવારી છે, લોકસભા ચૂંટણી સુધીમાં જો મોંઘવારી પર નિયંત્રણ નહીં આવે તો કેન્દ્રની ભાજપ સરકારને ફટકો પડવાની સંપુર્ણ શક્યતા છે. આ જ કારણે સરકાર પણ અનાજ-કઠોળ, ખાદ્યતેલ તથા જીવનજરૂરીયાતની ચીજોના ભાવ કાબુમાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. જેમ કે રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સીઝન પુરી થતા સિંગતેલના ભાવ ઘટ્યાને તેને ઇલેક્શન ઈફેકટ તરીકે જોવામા આવી રહ્યું છે.


સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2585 થયો


દેશ અને રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડ્યા છે. રાજકોટમાં આજે 15 કિલો બ્રાન્ડેડ સિંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે 2625થી ઘટીને 2585 રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ 2700 આસપાસ હતો, જે છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.


હજુ ઘટશે ભાવ?


રાજ્યમાં ખાદ્યતેલના ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગતેલ અને કપાસિયા સહિતના અન્ય ખાદ્યતેલના ભાવમાં હજું પણ ઘટાડો જોવા મળશે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તેથી તેલિયા રાજાઓ ભાવ વધારવાની હિંમત પણ નહીં કરી શકે. ગુજરાતની ભાજપ સરકારે જો 26માંથી 16 લોકસભા સીટ જીતવી હશે તો તેણે વધતી મોંઘવારી પર કાબુ મેળવવો જ પડશે. આમ પણ આ વખતે સત્તા વિરોધી અસંતોષ ચરમસીમા પર છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.