'પનોતી', 'ખિસ્સાકાતરૂ' નિવેદનો પર રાહુલ ગાંધી સામે કાર્યવાહી, ચૂંટણી પંચે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-23 19:48:54

ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. રાહુલ ગાંધીને 'પનૌતી', 'ખિસ્સાકાતરૂ' અને લોન માફીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા નિવેદનો બદલ નોટિસ ફટકારી છે. પંચે તેમને શનિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે પાર્ટીના અગ્રણી નેતા માટે આવી ભાષાનો ઉપયોગ કરવો 'દુર્ભાગ્યપૂર્ણ' છે.


ભાજપે શું ફરિયાદ કરી?


બુધવારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદ કરી હતી. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સામે પગલાં લેવામાં આવે નહીંતર આવા નિવેદનોથી ચૂંટણીનું વાતાવરણ બગડશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવા માટે અપશબ્દો, વાંધાજનક ભાષા અને ખોટા સમાચારનો ઉપયોગ અટકાવવો મુશ્કેલ બનશે. કરવામાં આવશે.


રાહુલ ગાંધી માફી માંગે: BJP 


ભારતીય જનતા પાર્ટી (BJP) એ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'પનૌતી મોદી' કહેવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમની ટિપ્પણીને 'શરમજનક અને અપમાનજનક' ગણાવી હતી અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન વિશે ગાંધીની ટિપ્પણી 'શરમજનક, નિંદનીય અને અપમાનજનક' છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.