Election Commissionએ Jammu-Kashmir, Haryana વિધાનસભા ચૂંટણીની તારીખો કરી જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-16 16:42:15

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.. ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જમ્મુ કાશ્મીર તેમજ હરિયાણા માટે ચૂંટણીના જાહેરાત કરી. ત્રણ તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે..  18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કાનું મતદાન થશે. બંને રાજ્યોમાં પરિણામ 4 ઓક્ટોબરે આવશે. 

Jammu and Kashmir Legislative Assembly election


Haryana Legislative Assembly election


આ તારીખો દરમિયાન યોજાશે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી

દેશના રાજ્યોમાં દર પાંચ વર્ષે થતો હોય છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા માટે ચૂંટણી થવાની છે.. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.. કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત અહીંયા ચૂંટણી થવાની છે.. 2014માં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.. વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કા માટે મતદાન 18 સપ્ટેમ્બરે યોજાવાનું છે અને આ દિવસે 24 બેઠકો માટે મતદાન થશે..

હરિયાણામાં એક તબક્કામાં યોજાશે મતદાન!

તે ઉપરાંત 26 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે એટલપે કે 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન પહેલી ઓક્ટોબરે થવાનું છે જેમાં 40 બેઠકોનો સમાવેશ થાય છે. હરિયાણામાં એક તબક્કામાં મતદાન થવાનું છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. અહીં વિધાનસભાની 90 બેઠકો છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારે હવે બંને રાજ્યોમાં કઈ પાર્ટીની સરકાર બનશે તે તો સમય બતાવશે.. 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.