કચ્છ ખાતે આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:48:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી થવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જવાની છે. આચાર સંહિતા લાગે એ પહેલા તમામ પક્ષો પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. 

ઈસુદાનના પ્રહાર

 આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા તેમજ મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે. કચ્છ ખાતે જનસંબોધન કરતા ઈસુદાન ગઢવીએ અમિત શાહના દિકરા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને મત આપશો તો અમિત શાહના દિકરાને નોકરી મળશે.

  

કચ્છમાં ઈસુદાને કરી અનેક મોટી જાહેરાત 

ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કચ્છમાં કોઈ મોટી હોસ્પિટલ નથી. જો આમ આદમીની સરકાર આવશે તો ખાનગી હોસ્પિટલને ટક્કર મારતી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા ફ્રીમાં અપાશે. ઉપરાંત ખેડૂતો માટે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતના 2 લાખ રુપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.