કર્ણાટકમાં જામ્યો ચૂંટણી પ્રચાર! મલ્લિકાર્જુન ખડગેના 'ઝેરી સાપ'ના જવાબમાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું 'વિષકન્યા'!


  • Published By :
  • Published Date : 2023-04-28 16:34:30

કર્ણાટકમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ પોતાની ચરમ સીમા પર આવી જતા હોય છે. થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપ શબ્દ વાપરયો હતો. આ વિવાદ હજી શાંત નથી થતો ત્યારે ભાજપના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે. કર્ણાટકની બીજેપીના ધારાસભ્ય બાસનગૌડાએ શુક્રવારે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરી હતી અને સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.

  

સોનિયા ગાંધીને ભાજપના ધારાસભ્યે વિષકન્યા કહ્યા!

થોડા દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.પોતાના નિવેદનમાં ઝેરી સાપ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વિવાદ વધતાં તેમણે આ મામલે ખુલાસો પણ આપ્યો હતો. આ મામલે ભાજપના અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. નેતાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યા હતા.


ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે! 

એક જાહેર સભામાં બાસનગૌડાએ કહ્યું હતું કે હવે ખડગે પીએમની તુલના કોબરા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તઓ ઝેર ઓકશે. પરંતુ જે પાર્ટીમાં તમે નાચી રહ્યા છો  તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે દરેક લોકો પોતાની સીમાની અંદર રહીને નિવેદનો આપે, પરંતુ જે પક્ષમાંથી ખડગે આવે છે એ પાર્ટીના નેતાઓ મોદીને ક્યારેક મૌત કા સોદાગર, ક્યારેક દુર્યોધન, ક્યારેક ગટરનો કીડો તો ક્યારેક સામાન્ય ચાવાળો કહે છે. લોકશાહીમાં આવા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહી. 


ભૂપેશ બધેલે આપ્યું નિવેદન!

સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલા નિવેદન બાદ સીએમ ભૂપેશ બધેલે નિવેદન આપ્યું થે. તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસના કાર્યકરો એફઆઈઆર નોંધાવશે. સોનિયા ગાંધીને વિષકન્યા કહેવામાં આવી રહ્યા છે, હવે આ નિવેદન પર મોદી શાહ શું કહેશે? 


નિમ્ન સ્તરની થઈ રહી છે રાજનીતિ!

ત્યારે પ્રશ્ન એ છે કે શું આટલી નીચલા સ્તરે રાજનીતિ આવી ગઈ છે કે એક બીજા પર પ્રહાર કરવા માટે રાજનેતાઓ કોઈ પણ હદે જશે? આવા નિવેદનો પર તમારૂ શું કહેવું છે?       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.