કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં! વર્ષો બાદ સોનિયા ગાંધી કરશે જનસભા! પીએમ મોદીનો મેગા રોડ શો તો સોનિયા ગાંધીનું જનસંબોધન!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:44:25

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 મેના રોજ ખરાખરીનો જંગ જામવાનો છે, કારણ કે 10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી  પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ભાજપ સહિત કોંગ્રેસ પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિત અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉતરવાના છે. આજે હુબલી ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. 2019 પછી સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે. 

Self-obsessed government hell-bent on trivialising sacrifices of freedom  fighters: Sonia Gandhi

અનેક વર્ષો બાદ સોનિયા ગાંધી કરશે ચૂંટણી પ્રચાર! 

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એ પછી ભલે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય. દરેક પાર્ટી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરવાના છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા સોનિયા ગાંધી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવાના છે. ઘણા વર્ષો બાદ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ખરાબ તબીયત હોવાને કારણે તેઓ કોઈ ચૂંટણી પ્રચારની રેલીમાં ઉપસ્થિત ન હતા. ત્યારે આજે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સોનિયા ગાંધી કરવાના છે. હુબલીમાં જનસભાને સંબોધિત કરવાના છે. કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા 43 જેટલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે 13 જેટલા રોડ શો કરવામાં આવ્યા છે.   

પીએમ મોદીનો મેગા રોડ-શો!

તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે. કર્ણાટકમાં મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 17 જેટલા વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. રવિવારે પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા એક જ દિવસમાં આ આ રોડ શો યોજાવવાનો હતો. 36.6 કિલોમીટરનો રોડ શો થવાનો હતો પરંતુ લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી પ્રોગ્રામને બદલવામાં આવ્યો છે. આજે પીએમ મોદી રોડ શોના માધ્યમથી 17 જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરવાના છે.  આ રોડ શોનું નામ પાર્ટીએ નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ એટલે કે અમારું બેંગલુરૂ, અમારું ગૌરવ. તે ઉપરાંત જનસભાને પણ સંબોધવાના છે. શ્રીકાંતેશ્વનરના પ્રસિદ્ધ મંદિરમાં દર્શન અને પૂજા કરી પોતાનો પ્રચાર ખતમ કરશે તેવી માહિતી હાલ સામે આવી છે. 


13 મેના રોજ આવવાનું છે ચૂંટણીનું પરિણામ!

મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોતાના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર તેમજ પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. ત્યારે આ વખતના પ્રચારમાં ઝેરી સાપ, વિષ કન્યા, નાલાયક બેટા જેવા અનેક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો પ્રયાસ મતદારોને રિઝવવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું. કઈ પાર્ટીના શિરે તાજપોશી થશે તે 13 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે.         



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!