Gujaratના શિક્ષણ મંત્રી પાસે Heart Attackને કારણે કેટલા મોત થયા તેના આંકડા છે પરંતુ આરોગ્ય મંત્રી પાસે આનો આંકડો નથી!


  • Published By :
  • Published Date : 2023-12-02 18:30:36

હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત થઈ રહ્યા છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે રાજ્યના બે મંત્રીઓના નિવેદન સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોના મોત થયા છે તેવું નિવેદન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપ્યું છે. પરંતુ જ્યારે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે આવા કોઈ આંકડા નથી. 

રાજ્યભરમાં શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકનો કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની ઉંમરે યુવાનોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. પ્રતિદિન બે-ત્રણ લોકોના મોત સરેરાશ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આવતી કાલે આપવામાં આવશે. તે ઉપરાંત 17 ડિસેમ્બરે પણ આ ટ્રેનિંગ આપવામાં આવશે. લોકો હસતા રમતા મોતને ભેટી રહ્યા છે. હાર્ટ એટેકે સરકારની ચિંતા વધારી છે.        


6 મહિનામાં 1052 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા!

CPRની તાલીમ આપવા માટેના કાર્યક્રમની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 1,052 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જેમાં 80% મૃતકોની ઉંમર 11થી 25 વર્ષ છે.’રાજ્યભરના બે લાખથી વધારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે. 


ઋષિકેશ પટેલે આપ્યું શિક્ષણમંત્રીથી અલગ નિવેદન

એક તરફ શિક્ષણમંત્રીએ હાર્ટ એટેકને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની જાણકારી આપી છે જ્યારે આ મામલે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા કોઈ આંકડા તેમની પાસે આવ્યા નથી.  ઋષિકેશ પટેલે કહ્યું કે, હાર્ટ એટેક પહેલાં પણ આવતા હતા, પણ અત્યારે મીડિયા દ્વારા હાર્ટ એટેકની જાગૃતિ લાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે પણ આની વિસ્તૃત માહિતી યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા જાહેર કરી હતી. હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતિ આવી છે. આ બાબતને સરકાર સકારાત્મક રીતે જુએ છે.

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!