શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો, કેપ્શનમાં લખ્યું જન-જન છે મોદીનો પરિવાર, તો કમેન્ટમાં લોકોએ અરીસો બતાવી દીધો...!


  • Published By :
  • Published Date : 2024-03-19 15:33:25

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ગઈ છે. અનેક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અનેક બેઠકો માટે ઉમેદવારને જાહેર નથી કરવામાં આવ્યા. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવશે તેમ તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે. અલગ અલગ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા મેં હું મોદી કા પરિવાર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. અલગ અલગ નેતાઓ અલગ અલગ વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે વગેરે વગેરે.. આ બધા વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની નીચે આપવામાં આવેલી કમેન્ટ જોવા જેવી છે..!

વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ... 

ગુજરાતને આપણે વિકાસશીલ રાજ્ય માનીએ છીએ. ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય તેવું સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક વખત એવી વાતો કરવામાં આવતી હોય છે કે ગામડાઓ સુધી પાકા રસ્તા પહોંચ્યા છે, શાળાઓએ છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ લોકો સુધી પહોંચે છે સહિતની અનેક વાતો આપણે સાંભળી છે. વાત સાચી પણ, અનેક જગ્યાઓ પર વિકાસ થયો છે તેની ના નથી પરંતુ અનેક ગામડાઓ એવા છે જ્યાં હજી સુધી સારા રસ્તા નથી પહોંચી શક્યા. 



અંતરિયાળ વિસ્તારમાં હજી સુધી નથી પહોંચ્યો વિકાસ!

રાજ્યના અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં સારા રસ્તા તો શું કાચા રસ્તા પણ નથી પહોંચ્યા. આજે પણ જો દર્દીને હોસ્પિટલ ખસેડવા હોય તો ઝોળીમાં તેમને લઈ જવા પડે છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કેમ્પેઈન લોન્ચ કરવામાં  આવ્યું છે મોદીનો પરિવાર.. જે અંતર્ગત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક જગ્યાની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા પર તેમણે વીડિયો પણ પોસ્ટ કર્યો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તે સારા કામો બતાવવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિને તે છુપાવી ના શક્યા!

કુબેર ડિંડોરે વીડિયો શેર કર્યો અને લોકો

વીડિયો શેર કર્યો તેની પર લોકોએ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું છે કે રોડ જોરદાર છે. તો કોઈએ કમેન્ટ કરી કે બોલો વીડિયોમાં કાચા રસ્તા દેખાય છે તોય વિકાસ વિકાસ કરે છે. તો કોઈએ લખ્યું સાહેબ આપનો જ વીડિયો બતાવે છે કે કેટલો વિકાસ થયો છે. રસ્તા નથી, સ્કુલ નથી આપના વીડિયોમાં બધુ દેખાઈ ગયું. થેંક્યું. શિક્ષણ મંત્રીના વીડિયોમાં કોઈએ શિક્ષકોને લઈ પણ કમેન્ટ કરી છે.        




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.