શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ટેટ ટાટ પાસ ઉમેદવારોને સ્પષ્ટ વાત 'જ્ઞાન સહાયકમાં ન જોડાવું હોય તો ઘરે બેસી રહો', VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-10 18:47:24

જ્ઞાન સહાયક યોજના સામે હાલ ભાવિ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. અનેક નેતાઓ અને શિક્ષણ જગતના અધિકારીઓથી માંડીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તે રજૂઆત કરી ચૂક્યા છે. હાલ જ્ઞાન સહાયક વિરોધ શિક્ષકો સંતો મહંતો પાસે પણ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે ત્યારે એક વીડિયો વાયરલ થયો છે. જ્ઞાન સહાયક ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કુબેર ડિંડોરે ઉમેદવારોને શિક્ષક ભરતીને લઈ જવાબ આપ્યો હતો.ઉમેદવારો કાયમી ભરતી માટે ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે.  આ બાબતે કુબેર ડિંડોરે કહ્યું હતું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે. આ વીડિયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગુજરાતના શિક્ષણમંત્રીને ઘેરીને ઉભા છે અને તેમને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે.  


ઉમેદવારો રજુઆત કરવા પહોંચ્યા 


આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂર કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  


ઉમેદવારો સાધુ-સંતોના શરણે 


શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા આંદોલનકારી ઉમેદવારો હવે સાધુ-સંતોના શરણે પહોંચ્યા છે. કાયમી શિક્ષકની ભરતી કરવા અને જ્ઞાન સહાયક યોજના રાજ્ય સરકાર રદ કરે તે માટે વિવિધ સ્થળે સાધુ-સંતોને મળીને ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉમેદવારોની માગણીને મોટાભાગના સાધુ-સંતો દ્વારા સમર્થન અપાયું છે અને સરકારે માગણી ધ્યાને લેવી જોઇએ તેમ જણાવ્યું હતું.  વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ પોતાની રીતે પણ ઉમેદવારો રાજ્યમાં રજૂઆતો અને દેખાવો કરી રહ્યા છે. નડિયાદના સંતરામ મંદિરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા માગણી કરી આવેદન આપ્યું હતું. બનાસકાંઠામાં કટાવ મહંતને પણ રજૂઆત કરાઇ હતી. તે સાથે દેગમડા મહીસાગર ધામના સંતને આવેદન અપાયું હતું. શ્રી ભારતી આશ્રમ-સરખેજ ખાતે યુવરાજસિંહ જાડેજાએ સંત ઋષિ ભારતી બાપુને મળીને શિક્ષણમાં જ્ઞાન સહાયક પ્રોજેકટના કારણે કેટલું નુકસાન થઇ રહ્યું છે તેની જાણકારી આપી હતી. તે જ પ્રકારે વાવ-થરાદ પંથકના ઉમેદવારો દ્વારા ઢીમાના મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુને રજૂઆત કરાતા તેમણે પણ અલ્ટીમેટમ આપતા સરકારને રજૂઆત કરાશે તેમ કહ્યું હતું. થરા-કાંકરેજ ખાતે વાળીનાથ મહાદેવના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપૂરીને યુવાઓએ પ્રશ્નોની રજૂઆત કરી હતી. 



શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે પરિપત્ર


શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!