TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે કાયમી ભરતીને લઈ શિક્ષણમંત્રી Kuber Dindorએ આપ્યું મહત્વનું નિવદેન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-11 12:45:22

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ હતી. જ્ઞાનસહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે સરકારને, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓને, પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. 

કુબેર ડિંડોરે શિક્ષકોની કાયમી ભરતીને લઈ કહી આ વાત 

ત્યારે ગઈકાલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ઉમેદવારોને કહી રહ્યા હતા કે, "જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે." ત્યારે વાયરલ વીડિયો અંગે તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે. વધુમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, કાયમી ભરતી જલ્દી થશે! આ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે"

ગઈકાલે ઉમેદવારોએ કરી હતી શિક્ષણમંત્રીને રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવા માટે તેમણે સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી હતી. પત્ર લખીને, રજૂઆત કરીને તેમણે પોતાની વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની વાતને, તેમની રજૂઆતને સાંભળવામાં આવી નથી. પોતાની માગ સાથે તેઓ સાધુ-સંતોના શરણે પણ ગયા હતા કે તેમની વાત તેઓ સાંભળશે. ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? 



જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે - કુબેર ડિંડોર 

વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગાર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  ત્યારે આજે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!