TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે કાયમી ભરતીને લઈ શિક્ષણમંત્રી Kuber Dindorએ આપ્યું મહત્વનું નિવદેન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-11 12:45:22

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ હતી. જ્ઞાનસહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે સરકારને, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓને, પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. 

કુબેર ડિંડોરે શિક્ષકોની કાયમી ભરતીને લઈ કહી આ વાત 

ત્યારે ગઈકાલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ઉમેદવારોને કહી રહ્યા હતા કે, "જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે." ત્યારે વાયરલ વીડિયો અંગે તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે. વધુમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, કાયમી ભરતી જલ્દી થશે! આ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે"

ગઈકાલે ઉમેદવારોએ કરી હતી શિક્ષણમંત્રીને રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવા માટે તેમણે સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી હતી. પત્ર લખીને, રજૂઆત કરીને તેમણે પોતાની વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની વાતને, તેમની રજૂઆતને સાંભળવામાં આવી નથી. પોતાની માગ સાથે તેઓ સાધુ-સંતોના શરણે પણ ગયા હતા કે તેમની વાત તેઓ સાંભળશે. ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? 



જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે - કુબેર ડિંડોર 

વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગાર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  ત્યારે આજે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.