રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 % લાભ મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:49:18

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની ભાજપ સરકાર વિવિધ જાહેરાતો કરી જનતાનું દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર વિરોધી લોક જુવાળથી ચિંતિત સરકારે વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં લાભ આપવાની મહત્વની જાહેરાત કરી છે.


જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી


શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકોની ભરતી આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિધવા મહિલાઓના હિતમાં સરકારે કરેલા આ મહત્વનો નિર્ણય અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું  કે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના 50 ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના 5  ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. તેમ જાહેરાતમાં જણાવ્યું છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.