ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3080એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-07-21 15:25:03

દેશભરમાં જીવન જરૂરીયાતની ચીજોના ભાવો સાતમા આસમાને પહોંચ્યા છે, અનાજ, કઠોળ, ખાદ્યતેલ અને ટામેટાના વધેલા ભાવોમાં વણથંભી આગે કુચ હજુ ચાલું જ છે. તેમાં પણ સૌથી વધુ ચિંતા ખાદ્યતેલે ઉભી કરી છે, આજે સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે, ડબ્બાનો ભાવ 3100 નજીક પહોંચ્યો છે. હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. તહેવારો સમયે સિંગતેલ મોંઘું થતા ગૃહિણીઓને ઘર ચલાવવું વધુ મુશ્કેલ બન્યું છે. સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં પણ સિંગતેલમાં બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે.


ખાદ્યતેલમાં કેટલો ભાવ વધારો થયો?


સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચ્યો છે, હાલ ડબ્બાનો ભાવ 3080 પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 70નો વધારો થતા કપાસિયાનો ભાવ 1700થી 1750 સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા 30થી 40નો વધારો થતા 1450 પર પહોંચ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. 


તહેવારો બગાડશે ભાવ વધારો?


તહેવારોની સિઝન નજીક છે ત્યારે ખાદ્યતેલના ભાવ વધારાએ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો છે, સિંગતેલનો ભાવ વધારો અન્ય ખાદ્યચીજોના ભાવ વધારાનું પણ કારણ બને છે. ખાદ્યતેલનો ભાવ વધી ગયો છે, જેના કારણે હવે ફરસાણ મોંઘુ બનશે. આ કારણે તહેવારો ઉજવવામાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ઉપવાસ પણ મોંઘા બન્યા છે. એક સપ્તાહમાં ડબ્બે રૂ.100 જેટલો ભાવ વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. 


શા માટે ભાવ વધારો થયો?


વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે.  જેના કારણે મગફળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવો પણ ઓલ ટાઈમ હાઇ છે.  ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા.  તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી.  જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી.  મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલના ભાવમાં ભડકો થતા મોંઘવારીનો વધુ એક માર જનતા પર જોવા મળી રહ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.