ઘઉં, દુધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં ભડકો, ડબ્બાની કિંમત કેટલી વધી, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-05 15:09:11

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, કમ્મરતોડ મોંઘવારીથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે છેડા ભેગા કરવાનાં પણ ફાંફાં પડી રહ્યા છે. માણસને બે ટંકના ભોજન માટે અનિવાર્ય એવા ઘઉં, દુધ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. 


ખાદ્યતેલના ભાવ આસમાને


સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પગલે તેલનો ડબ્બો 3000ની નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,945 રૂપિયાએ પહોંચ્યો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1,890એ પહોંચ્યો છે જ્યારે બીજી તરફ પામોલિન તેલના ભાવમાં પણ સપ્તાહમાં 120 રૂપિયાનો વધારો થયો છે. પામોલિન તેલના ભાવ હજુ પણ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.