ED: દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને સાતમું સમન, પૂછપરછ માટે 26 ફેબ્રુઆરીએ બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-22 16:14:17

EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌંભાંડમાં પૂછપરછ માટે સાતમું સમન પાઠવ્યું છે. તપાસ એજન્સીએ દિલ્હીના CMને 26 ફેબ્રુઆરી (સોમવાર)ના રોજ હાજર થવા કહ્યું છે. કેજરીવાલને આ પહેલા ઈડી છ વખત સમન મોકલી ચુકી છે. પરંતું દિલ્હીના સીએમ હજુ સુધી ઈડી સમક્ષ હાજર થયા નથી. હવે સાતમી વખત ઈડીનું સમન જાહેર થવાથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.  


ક્યારે અપાયું સમન?


દિલ્હી લિકર કેસ અને કથિત મની લોન્ડરિંગના આરોપ હેઠળ કેજરીવાલને પૂછપરછ માટે ઈડીએ સમન જાહેર કર્યા છે. આ પહેલા 2 નવેમ્બર, 21 નવેમ્બર 2023, જ્યારે આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ ઈડીએ પૂછપરછ માટે સમન જારી ચુકી છે. 


કેજરીવાલે શું કહ્યું?


CM અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન આપવામાં આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ અને ઈડીએ નવા સમન આપવા પહેલા કોર્ટના ચુકાદાની રાહ જોઈ જોઈએ. દિલ્હીની કોર્ટે કેજરીવાલને ઈડી સમક્ષ હાજર થવામાં રાહત આપી છે.  જ્યારે ઈડીનો આરોપ છે કે તે જાણી જોઈને સમનનું પાલન નથી કરતા અને સતત બાલીસ કારણો આપી રહ્યા છે. ઈડીએ કહ્યું કે ' જો ઉચ્ચ પદો પર બેઠેલા લોકો પણ આ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેનાથી સામાન્ય માણસને ખોટા સંકેત મળશે.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.