AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા, જાણો કોના ત્યાં EDએ કરી રેડ અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-10-10 10:21:24

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા. દિલ્હી ખાતે આવેલા તેમના ઘરમાં અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સંજસિંહની ધરપકડનો વિરોધ ઠેર-ઠેર આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ત્યાં રેડ કરવામાં આવી છે. આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે ઈડીની ટીમ તેમના ઘરે પહોંતી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

આપના ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા 

ઈડી દ્વારા વધુ એક આમ આદમી પાર્ટીના નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈ વખતે સાંસદને ત્યાં દરોડા પાડ્યા હતા ત્યારે હવે ધારાસભ્યને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે. અમાનતુલ્લા ખાનને ત્યાં ઈડી ત્રાટકી છે. એવી માહિતી સામે આવી છે કે આ કાર્યવાહી દિલ્હી વક્ફ બોર્ડના કામકાજમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગેરરીતિઓના આરોપ સાથે કરવામાં આવી છે. આ મામલામાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી. હવે EDએ આ FIRના આધારે AAP ધારાસભ્ય વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે પણ આ મામલાને ધ્યાનમાં રાખી છાપેમારી કરવામાં આવી હતી. 5 જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. 

શું છે સમગ્ર મામલો? 

દિલ્હી વક્ફ બોર્ડના કામકાડ દરમિયાન અમાનતુલ્લા ખાને ગેરરીતિ આચરી છે તેવા આરોપો સાથે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમગ્ર કેસની વાત કરીએ તો એવો આરોપ છે કે તેમણે અધ્યક્ષ પક્ષનો દુરૂપયોગ કર્યો છે.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. અમાનતુલ્લા ખાન પર વક્ફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય અનિયમિતતા અને વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમના પર નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદેસર નિમણૂક કરવાનો પણ આરોપ છે. આ સંદર્ભે, એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.. ત્યારે એક વર્ષ બાદ ફરીથી ધારાસભ્યને ત્યાં રેડ પાડવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.