કોલકાત્તામાં વેપારીના ઘરે ED ના દરોડા, રોકડ ગણવા માટે મશીનો મંગાવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 08:57:46

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કેસની તપાસના સંદર્ભમાં કોલકાતામાં એક વેપારીના વિવિધ સ્થાનોમાં દરોડા પાડ્યા હતાં. ઈડીએ  કોલકાત્તાના છ સ્થળો ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમીનપુર ખાતે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં. એવપં માનવામાં આવી રહ્યું છે કે પરિસરમાંથી ઘણી રોકડ મળી આવી છે.અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. રોકડ ગણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા હતા.


શું હતો મામલો?


વાસ્તવમાં, ફેડરલ બેંકના અધિકારીઓએ આમિર ખાન નામના વ્યક્તિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક અધિકારીઓએ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બાદ આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


રોકડ ગણતરી માટે મશીનો લાવવા પડ્યા 


બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે શનિવારે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ નાસિર ખાનના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDના સૂત્રો કહે છે કે દરોડા ચાલુ છે અને રોકડ રકમની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDના દરોડામાં  પૈસાનો ઢગલો જોવા મળ્યો છે. આ રૂપિયા બેડ નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રાખવામાં આવ્યા હતા. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.