કોલકાત્તામાં વેપારીના ઘરે ED ના દરોડા, રોકડ ગણવા માટે મશીનો મંગાવાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 08:57:46

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કેસની તપાસના સંદર્ભમાં કોલકાતામાં એક વેપારીના વિવિધ સ્થાનોમાં દરોડા પાડ્યા હતાં. ઈડીએ  કોલકાત્તાના છ સ્થળો ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમીનપુર ખાતે દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતાં. એવપં માનવામાં આવી રહ્યું છે કે પરિસરમાંથી ઘણી રોકડ મળી આવી છે.અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી છે. હજુ પણ રોકડની ગણતરી કરવામાં આવી રહી છે. રોકડ ગણવા માટે નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવ્યા હતા.


શું હતો મામલો?


વાસ્તવમાં, ફેડરલ બેંકના અધિકારીઓએ આમિર ખાન નામના વ્યક્તિ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક અધિકારીઓએ મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બાદ આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


રોકડ ગણતરી માટે મશીનો લાવવા પડ્યા 


બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે શનિવારે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ નાસિર ખાનના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડ અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. EDના સૂત્રો કહે છે કે દરોડા ચાલુ છે અને રોકડ રકમની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDના દરોડામાં  પૈસાનો ઢગલો જોવા મળ્યો છે. આ રૂપિયા બેડ નીચે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને રાખવામાં આવ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે