છત્તીસગઢમાં IAS અધિકારીના ઘરે ED ત્રાટકી તો 4 કિલો સોનું મળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:26:30

છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી કરીને IAS અધિકારી સમીર બિશ્નોઈ સહિત કોલસાના ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને રાયપુર સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા. IAS સમીર બિશ્નોઈના ઘરેથી 4 કિલો સોનું, 20 કેરેટના હિરા અને 47 લાખની રોકડ રકમ મળી હતી. આ સોનાની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયાથી વધુ કહેવામાં આવી રહી છે. IAS અધિકારીને રિમાન્ડ બાદ દિલ્લી લઈ જવામાં આવશે. 


છત્તીસગઢમાં ત્રણ દિવસથી થઈ રહી છે ઈડીની કાર્યવાહી 

છત્તીસગઢના અનેક શહેરોમાં ગત મંગળવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન IAS અધિકારીના ઘરેથી મોટી માત્રામાં વસ્તુઓ જપ્ત થઈ હતી. આ બધી વસ્તુઓ ક્યાંથી આવી તે મામલે હાલ તપાસ ચાલી રહી છે. રિમાન્ડમાં અધિકારી પાસે આટલા પ્રમાણ સોનું અને હિરા ક્યાંથી આવ્યા તે મામલે પૂછપરછ કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ 200થી વધુ જવાનો છત્તીસગઢ પહોંચી ગયા છે. છત્તીસગઢના રાયપુર, રાયગઢ, બિલાસપુર, કોરબામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોલસા અને રેતી માફિયાઓને ધ્યાનમાં રાખીને  કાર્યવાહી કરી રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.