AAP સાંસદ SanjaySinhના ઘરે EDના દરોડા, દિલ્હી સ્થિત ઘરમાં થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 08:40:37

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. દિલ્હી ખાતે આવેલા આવાસ પર બુધવારે સવારે ઈડીના અધિકારીઓએ છાપેમારી કરી છે. ઈડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ તેમના ઘરમાં છે અને તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર શરાબ ઘોટાળા મામલે સાંસદ સંજય સિંહના ઘર પર છાપેમારી કરી હતી. મહત્વનું છે કે આપ સાંસદ સંજય સિંહનું નામ શરાબ ઘોટાલામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ તપાસ એજન્સીના રડાર પર છે તેવું લાગી રહ્યું છે.  


સવારે સાત વાગ્યે તપાસ એજન્સીની ટીમ પહોંચી સાંસદના ઘરે 

બુધવાર સવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી છે. દિલ્હી સ્થિત સાંસદના ઘરે ઈડીની ટીમ તપાસ કરી રહી છે. સંજયસિંહના ઘરે બીજી વખત ઈડીની ટીમ પહોંચી છે. આ અંગેની જાણકારી સંજય સિંહે પોતે આપી છે. સવારે સાત વાગ્યાની આસપાસ ઈડી દ્વારા સાંસદના ઘરે રેડ કરવામાં આવી. આની પહેલા મે મહિનામાં પણ ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. ઈડી અને સીબીઆઈ તેમને ઘેરી રહ્યું છે. 


શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં છે સાંસદનું નામ 

ઈડી તેમજ સીબીઆઈ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ સંજયસિંહ અનેક વખત પ્રક્રિયા આપી રહ્યા છે. અવાર-નવાર કરવામાં આવતી કાર્યવાહીને લઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના માધ્યમથી વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે દિલ્હી દારૂ નીતિ મામલે આ તપાસ કરવામાં આવી રહી છે. શરાબ ઘોટાળામાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજયસિંહનું નામ પણ સામેલ છે. તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ અલગ અલગ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.