કેજરીવાલને EDએ છઠ્ઠું સમન પાઠવ્યું, મની લોન્ડ્રિગ કેસમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-14 19:56:38

દિલ્હીના લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ બુધવારે (14 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી કેજરીવાલને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી EDએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અગાઉ 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલે આ સમનને રાજકારણથી પ્રેરિત હોવાનું કહીંને હાજર થયા નહોતા.


EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરી છે ફરિયાદ


જ્યારે કેજરીવાલ પાંચ સમન્સ મોકલ્યા પછી પણ હાજર ન થયા ત્યારે EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. આના પર કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.


કેજરીવાલ ક્યારે હાજર થશે?


હવે સવાલ એ છે કે ઈડી વારંવાર સમન પાઠવી રહી છે તેમ છતાં કેજરીવાલ હાજર થતા નથી, તો તેઓ ક્યારે હાજર થશે? કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈડી તમની સામે બિનજામીન વોરન્ટ જારી કરે છે. ત્યાર બાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો તેઓ કલમ 45 હેઠળ બિનજામીન વોરન્ટ આપી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ  (PMLA) હેઠળ નોટિસની વારંવાર અવગણના કરવા પર તેમની ધરપકડ થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.