કેજરીવાલને EDએ છઠ્ઠું સમન પાઠવ્યું, મની લોન્ડ્રિગ કેસમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-02-14 19:56:38

દિલ્હીના લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ બુધવારે (14 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી કેજરીવાલને છઠ્ઠું સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સી EDએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ અગાઉ 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલે આ સમનને રાજકારણથી પ્રેરિત હોવાનું કહીંને હાજર થયા નહોતા.


EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કરી છે ફરિયાદ


જ્યારે કેજરીવાલ પાંચ સમન્સ મોકલ્યા પછી પણ હાજર ન થયા ત્યારે EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી. આના પર કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAP સાંસદ સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે.


કેજરીવાલ ક્યારે હાજર થશે?


હવે સવાલ એ છે કે ઈડી વારંવાર સમન પાઠવી રહી છે તેમ છતાં કેજરીવાલ હાજર થતા નથી, તો તેઓ ક્યારે હાજર થશે? કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઈડી તમની સામે બિનજામીન વોરન્ટ જારી કરે છે. ત્યાર બાદ પણ જો તેઓ હાજર નહીં થાય તો તેઓ કલમ 45 હેઠળ બિનજામીન વોરન્ટ આપી શકે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ  (PMLA) હેઠળ નોટિસની વારંવાર અવગણના કરવા પર તેમની ધરપકડ થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે