ઝારખંડના CM હેમંત સોરેન સાથે EDની પૂછપરછ, આજે થઈ શકે છે ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-31 14:29:40

કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે. રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. EDના સમન્સ પર હેમંત સોરેને પોતે EDને જવાબ આપવા માટે આજે બપોરે સમય આપ્યો હતો. તાજેતરમાં, હેમંત સોરેન અચાનક ગાયબ થઈ ગયા હતા, ત્યારબાદ EDએ તેમની શોધ શરૂ કરી હતી. જોકે, હેમંત સોરેન સોમવારે મોડી રાત્રે ફરી રાંચી પહોંચ્યા હતા.


હેલમેટ પહેરીને પહોંચી EDની ટીમ


હેમંત સોરેનની પૂછપરછ માટે પહોંચેલી ઈડીની ટીમને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે તેવી આશંકા છે. તેથી ઈડીએ ઝારખંડ સરકારને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેને સુરક્ષા માટે પુરતો બંદોબસ્ત કરવાનું  કહેવામાં આવ્યું છે. તે માટે સરકારે ત્રણ ટીમ બનાવી છે. ઈડીની ટીમ પણ હેલમેટ પહેરીને સીએમ નિવાસસ્થાન જઈ રહી છે. ઈડીની ટીમ એક ઈનોવામાં રાખીને સીએમ હાઉસ પહોંચી છે. 


કલ્પના સોરેનને CMની જવાબદારી


હેમંત સોરેને પાટનગર રાંચી પહોંચીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ધારાસભ્યો અને JMMના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સોરેનની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત રહ્યા હતા.JMMનું કહેવું છે કે બેઠકમાં આગળની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી હતી. એવી અટકળો છે કે હેમંતની ધરપકડની સ્થિતિમાં તેની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે