વિપક્ષો પર ED-CBIના દરોડા, તો શું ભાજપના નેતાઓ દુધે ધોયેલા છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:03:09

દેશની રાજનિતીમાં  ED,CBI અને IB સહિતની તપાસ એજન્સીઓનો શાસક પક્ષ દ્વારા દુરપયોગએ કોઈ નવી બાબત નથી, પરંતુ 2014માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારથી વિપક્ષી નેતાઓ જાણે દુશ્મન હોય તે રીતે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાનો ભાજપ પર આરોપ લાગી રહ્યો છે, શરૂઆતમાં તો માત્ર કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સિકંજો કસવામાં આવતો હતો, જો કે હવે તો આમ આદમી પાર્ટી,રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા,તૃણમુલ કોંગ્રેસ,NCP અને શિવસેનાના નેતાઓ પર પણ ધોંસ વધી છે. 

ભાજપની સાથે નહીં તે સામે 

ભ્રષ્ટાચાર,છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ સરકારનું મુખ્ય હથિયાર બન્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉત, આપના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા,આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન,TMC નેતા અભિષેક બેનર્જી, પાર્થો ચેટર્જી,NCP નેતા અનિલ દેશમુખ,નવાબ મલિક, અને હવે ઝારખંડ મુક્તી મોરચા તથા RJDના કેટલાક નેતાઓ પર પણ ઈડીની રેડ પડી છે. વિપક્ષી નેતાના ઘરે પડતા દરોડા ચર્ચાનો વિષય બન્યો છે.

વિપક્ષોની એકતા માટે હાકલ 

વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓને થતી હેરાનગતીને લઈ મમતા બેનર્જી તથા શરદ પવાર પણ અનેક વખત વિપક્ષી એકતા માટે હાકલ કરી ચુંક્યા છે, ભાજપની પંજાબમાં થયેલી હાર બાદ ઈડી અને સીબીઆઈની ધોંસ વધી રહી છે, ચૂંટણી નજીક છે ત્યારે આપના નેતાઓને ખાસ નિશાન બનાવવામાં આવે છે,ઈડી અને સીબીઆઈના દરોડા વિપક્ષી નેતાઓની છબી ખરડવામાં ઉપયોગી બને છે.

ભાજપના નેતાઓ કેટલા પ્રામાણિક?

વિપક્ષો પર વધી રહેલી સીબીઆઈ અને ઈડીની તપાસે હવે ભાજપના નેતાઓની ઈમાનદારી અંગે પણ ચર્ચા જગાવી છે, ભાજપના નેતાઓ ગંગામાં નાહ્યેલા છે તેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે,  UPAના શાસનમાં અમિત શાહ, બી એસ યદીયુરપ્પા,શિવરાજ સિંહ ચૌહાણ,નિતીન ગડકરી, નારાયણ રાણે, હેમંત બિસ્વા શર્મા સહિતના નેતાઓ પણ સીબીઆઈ અને ઈડીના દરોડાનો સામનો કરી ચુક્યા છે. જો કે હાલ તેમના પર થયેલા કેસની શું સ્થિતી છે તે સૌ કોઈ જાણે છે, આમ જે પાર્ટી સત્તામાં આવે ત્યારે તેના નેતાઓ રાતોરાત ઈમાનદાર બની જાય છે. જો કે આ પરિસ્થતિ લોકશાહી માટે તો ચોક્કસપણે ખતરનાક જ છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.