નાણામંત્રી સીતારમણેએ રજુ કર્યું આર્થિક સર્વેક્ષણ, જાણો કેવી રહેશે દેશની આર્થિક વૃધ્ધીની ગતિ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:03:17

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. વર્ષ 2023ના આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં દેશની આર્થિક વૃધ્ધીની ગતિ 6 થી 6.8 ટકા સુધી રહી શકે છે. આ વિકાસ દર ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાની અનુમાનિત વૃધ્ધી દરની તુલનામાં ઓછી છે.  


ઝડપી આર્થિક રિકવરી જોવા મળી  


સરકારના વાર્ષિક આર્થિક સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી રિકવરી જોવા મળી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ અને મૂડી રોકાણ વધવાથી વૃદ્ધિને મજબૂતી મળશે.


મજબૂત વૃદ્ધિની અપેક્ષા


આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભારતની વૃદ્ધિની ગાથા ચાલુ રહેશે. આ ખાતરી વૈશ્વિક પડકારો વચ્ચે આવી છે.


આર્થિક સર્વેની મોટી બાબતો


1-આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ચાલુ ખાતાની ખાધ સતત વધતી રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.


2-આર્થિક સર્વેમાં એવી ધારણા છે કે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ગતિ સાત ટકા રહી શકે છે.

સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વૈશ્વિક વેપારમાં સંકોચનને કારણે નિકાસ મોરચે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે.


3-આર્થિક સર્વેક્ષણ 2023 માં, તે બાબત દર્શાવવામાં આવી છે કે વિનિમય દરની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે તે ખરીદ શક્તિની સમાનતાની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.


4-આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીડીપી વૃદ્ધિની ગતિમાં ઘટાડો થવા છતાં ભારત નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.