PM કિસાન સન્માન નિધિ યોજના માટે 3 વર્ષમાં રૂ. 2 લાખ કરોડ ફાળવાયા, 11.3 કરોડ ખેડૂતોને થયો લાભ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:35:58

ખેડૂતોને આર્થિક મદદ કરવાના આશયથી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આર્થિક સર્વેક્ષણ 2023 રજૂ કરતાં મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું કે દેશના 11.3 કરોડ લોકોને PM કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ 3 વર્ષમાં લાભાર્થી ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.


કિસાન સન્માન નિધિ યોજના શું છે?


કૃષિ કાર્યો માટે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં 2,000 રૂપિયા કરીને સીધી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારે સપ્ટેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12મા હપ્તા માટે 8 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.