અમરેલી પાસે અનુભવાયા ભૂકંપના આંચકા, 3.1ની તીવ્રતાથી ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-23 11:19:12

રાજ્યમાં ફરી એક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. અમરેલીની ધરા ધ્રુજી છે. 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત અમરેલીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. સવારે 6 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. ધરતીકંપના આંચકા સતત આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


અનેક વખત અનુભવાયા છે ભૂકંપના આંચકા 

ઘણાં સમયથી અમરેલી નજીક ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી છે પરંતુ ધરતીકંપ આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અમરેલીના ગીરકાંઠાના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતીકંપનો અહેસાસ થયો હતો. ત્યારે આજે ફરી અમરેલીની ધરતી હલી છે. રિક્ટર સ્કેલ પર ભલે તીવ્રતા ઓછી હોય પરંતુ સતત આવતા ભૂકંપથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.