દેશના આ બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, વહેલી સવારે ધ્રુજી હતી ધરા


  • Published By :
  • Published Date : 2023-04-12 11:56:41

ભૂકંપ આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે દેશમાં બે જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બિહારના અરરિયામાં તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ધરતીકંપ અનુભવાયો હતો. બંને જગ્યાઓ પર ભૂકંપની તીવ્રતા 4.3 આસપાસ નોંધાઈ હતી. બુધવાર સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

    

બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના તેમજ વિશ્વના અનેક જગ્યાઓ પર તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા સિરિયા અને તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર થયા હતા. ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. 


ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ  

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર બિહારના અરરિયામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 4.3 તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. તે સિવાય પશ્ચિમ બંગાળની ધરા પણ ધ્રુજી હતી. પશ્ચિમ બંગાળના સિલીગુડીથી 140 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 4.3ની તીવ્રતા વાળો ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ હોય અથવા તો નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.