લખનઉ,દિલ્હી બાદ પંજાબમાં અનુભવાયા ભૂકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2022-11-14 09:03:24

આજે વહેલી સવારે પંજાબના અમૃતસરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, પંજાબના અમૃતસરથી 145 કિમી ઉત્તર-પશ્ચિમમાં સવારે 3.42 કલાકે ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Earthquake tremors felt in Delhi, second time in a week | Flipboard

નોંધનીય છે કે ઉત્તર ભારતના મધ્યમાં થોડા દિવસોમાં ધરા ઘણી વખત ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.


નિષ્ણાતોનું કહેવું છે કે હિમાલયના ક્ષેત્રમાં ટેકટોનિક પ્લેટોની અસ્થિરતાને કારણે ઉચ્ચ તીવ્રતાના ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ભૂસ્તરશાસ્ત્રી અજય પોલે જણાવ્યું હતું કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના સતત દબાણને કારણે તેની નીચે સંગ્રહિત ઊર્જા સમયાંતરે ભૂકંપના સ્વરૂપમાં બહાર આવે છે.


છેલ્લા 100 વર્ષમાં ચાર મોટા ભૂકંપ

છેલ્લા 100 વર્ષો દરમિયાન હિમાલયના ક્ષેત્રમાં ચાર મોટા ભૂકંપ નોંધાયા છે. જેમાં 1897માં શિલોંગ, 1905માં કાંગડા, 1934માં બિહાર-નેપાળ અને 1950માં આસામનો સમાવેશ થાય છે. જે બાદ 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.