કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-20 13:48:01

ગુજરાતમાં ધરતીકંપના આંચકાનો અનુભવ સતત થઈ રહ્યો છે. અનેક વખત ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એક વખત કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. તે પહેલા સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.   


ફરી એક વખત કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા  

કચ્છ જિલ્લાની ધરા ફરી એક વખત ધ્રૂજી હતી. સોમવારે 3.2 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. ધરતીકંપના અનેક વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ અનેક વખત ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્વો સ્વાભાવિક છે. 


અનેક વખત ધ્રૂજી છે ધરા 

થોડા દિવસો પહેલા સુરતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સુરતમાં 3.8ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. 8 ફ્રેબુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રીના સમયે 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 9 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રૂજી હતી. અનેક વખત ભૂકંપ આવવાથી લોકો ડરમાં રહેવા મજબૂર બન્યા છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.