Chinaમાં અનુભવાયા ધરતીકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે દિલ્હીની ધરા પણ ધ્રુજી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-23 11:31:54

ચીનમાં અતિતીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન- શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. અતી તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતા વાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા. 

Earthquake of magnitude 7.2 hits China's Xinjiang, tremors felt in  Delhi-NCR - India Today


ચીનમાં આવ્યો 7.2 તીવ્રતા વાળો ભૂકંપ 

ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવવાને કારણે અનેક ઈમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટીટ્યૂડ 40.96 અને લંબાઇ 78.30, ઊંડાઇ 80 કિમી રહી હતી. આ ભૂકંપ એટલો બધો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. 

Strong earthquake and several aftershocks reported in western Afghanistan

  

ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો થયો અનુભવ

એક વાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો મોહાલ વ્યાપી ઉઠ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે. દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.