અમરેલી જિલ્લામાં આવ્યા ધરતીકંપના આંચકા, 10 ગામોની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:20:57

તુર્કીમાં ધરતીકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારની રાત્રે અમરેલીના અનેક વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. અનેક વાર ધરતીકંપ આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.


ગુજરાતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા  

સોમવારના દિવસે તુર્કી તેમજ સિરિયામાં તીવ્ર ભૂકંપના આંચકાના અનુભવ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. આ ઘટનામાં અનેક બિલ્ડીંગ પડી ગઈ હતી. અનેક લોકો બિલ્ડીંગની નીચે પણ દબાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારે મોડી રાત્રે 10 ગામોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળા સહિત અનેક જગ્યાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. વારંવાર ધરતીકંપનો અનુભવ થતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 


અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ 

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મીતીયાળા સહિત સાવરકુંડલા, ખાંભા, સાકરપરા, ધજરડી સહિતના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ હતી. ભલે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી નોંધાઈ હતી પરંતુ અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરના માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.