મીતીયાળા ગામમાં ફરી આવ્યો ભૂકંપ, પાંચ મિનીટમાં ત્રણ વખત ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-04 10:41:37

અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વાર નહીં પરંતુ ત્રણ વખત મીતીયાળાની ધરા ધ્રૂજી ઉઠી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 કલાકે આ આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ આંચકાની તિવ્રતા 3.2 આસાપાસ નોંધાઈ હતી. 5 મિનીટના સમયગાળામાં 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.


5 મિનીટમાં આવ્યા ત્રણ ભૂકંપના આંચકા 

રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. અનેક આંચકા એકદમ તીવ્ર હોય છે તો અનેક વખત સામાન્ય આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં ધરતીકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી પરંતુ ત્રણ વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. માત્ર 5 મિનીટની અંદર ધરા ત્રણ વખત ધ્રૂજી હતી.ધરતીકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 


ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ 

છેલ્લા બે મહિનાથી આ ગામોમાં અનેક વખત ભૂકંપનો અનુભવ થયો છે. મીતીયાળા સહિત બાગોયા, સાકરપરા, ધજડી જેવા શહેરોમાં પણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 30 જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂંકપ અનુભવાયો હતો જેમાં 4.2ની તીવ્રતા હતી જ્યારે ખાવડા પાસે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 હતી. બે અઠવાડિયા પહેલા ગાંધીનગરથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જમીનમાં થતી ગતિવિધીઓની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા ભલે સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા હલવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.