બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-06-14 18:58:54

ગુજરાત પર ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભયાનક ચક્રવાતથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યનું વહીવટી તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે સાબદુ બન્યું છે ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


3.2 ની તિવ્રતાનો ધરતીકંપ


કચ્છમાં આજે સાંજે 5.05 વાગ્યે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર મળ્યા નથી.


વાવાઝોડાની શું છે સ્થિતી?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 15 જૂને સાંજે જખૌની આસપાસ અથડાશે. વાવાઝોડું હજુ પણ જખૌથી 280 કિમીના અંતરે છે. દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘વાવાઝોડું સિવિયર સ્ટોર્મ છે, હાલ તેની સ્થિતિ અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં છે.’15મીની સાંજે વાવાઝોડું કેટલા વાગ્યે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ હવામાન વિભાગ આપ્યો છે. જો કે, તેમાં સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.