અમરેલીમાં સતત અનુભવાયા ધરતીકંપના આંચકા, 24 કલાકમાં અનેક વખત થયો ભૂકંપનો અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-25 12:24:14

ગુજરાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ભૂકંપના આંચકાનો સતત અહેસાસ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર 24 કલાકમાં 6 જેટલા આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનું કહેવું છે કે ધરતીકંપના આંચકા આવવાથી લોકો ઘરની બહાર રાત્રે સૂવા મજબૂર બન્યા છે. ભલે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ અનેક વખત ધરતીકંપ આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


24 કલાકમાં અનેક વખત ધરા ધ્રુજતા લોકોમાં ડર 

ગુજરાતના અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં સતત ધરતીકંપનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 24 કલાકમાં 6 જેટલી વખત ધરા ધ્રુજી છે જેને કારણે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપની તીવ્રતા ભલે ઓછી હોય પણ અનેક વખત આવતા ભૂકંપને કારણે લોકો ચિંતામાં  મૂકાયા છે. 


રિક્ટર સ્કેલ પર ઓછી નોંધાઈ તીવ્રતા 

અમરેલીના ખાંભામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા નોંધાયું હતું. ગીરના જંગલોના ગામડામાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.