ફરી એક વખત તુર્કીમાં આવ્યો ભૂકંપ, ધરતીકંપને કારણે ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-02-21 08:58:32

થોડા દિવસો પહેલા તુર્કીમાં મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સોમવાર રાત્રે ફરી એક વખત તુર્કીમાં 6.4 તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીક્લ સેન્ટરના અહેવાલ પ્રમાણે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમીની ઊંડાઈએ 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને કારણે દક્ષિણી પ્રાંત હેતાયમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો.


ત્રણ લોકોના થયા મોત જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત 

તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ધરતીકંપના આંચકા આવ્યા હતા જેને કારણે હજારો લોકો મોતને ભેટ્યા છે. લાખોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. ત્યારે ફરી એક વખત તીવ્ર ભૂકંપનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. તુર્કીના ગૃહમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં આવેલા ભૂકંપને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ ડરથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂંકપને કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે.

    

પાંચ મિનીટની અંદર બે વખત ધ્રુજી ધરા   

મળતી માહિતી અનુસાર હટાય પ્રાંતમાં 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ધરતીકંપના આંચકાનો અનુભવ લેબનોનની રાજધાની બેરૂતમાં પણ થયો હતો. તુર્કી-સીરિયન સરહદ પર ભૂકંપને પગલે ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલા 6.4 તીવ્રતા વાળા ભૂકંપનો આંચકો આવ્યો જ્યારે તેની ત્રણ મિનીટ બાદ 5.8 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઈમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે