ભારતમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! નિકોબારમાં આવ્યો 5.0 તીવ્રતાનો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-03-06 11:18:55

થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવાર સવારે અંદમાન-નિકોબાર ટાપુ વિસ્તારમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. 


ભારતમાં પણ થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ!

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સિરીયામાં ધરતીકંપે વિનાશ સર્જ્યો હતો. હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે હજારો લોકો બેઘર થયા છે. થોડા દિવસો પહેલા ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે સોમવાર સવારે અંદમાન નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. 5.0 તીવ્રતા વાળો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોવાની જાણકારી નથી મળી.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.