ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા, 5.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-24 16:32:24

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ નેપાળ-ચીન બોર્ડર નજીક હોવાનું જણાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 ની હતી. જો કે ધરતીકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનીનાં સમાચાર નથી. 


30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા


ઉત્તરભારતમાં અને  તેમાં પણ દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, અયોધ્યા, ગોરખપુર સહિતના લગભગ તમામ શહેરોમાં લોકોએ 30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ઝટકા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્ય હતા. તે જ પ્રકારે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસના ધાબા ઉપર ચઢી ગયા હતા. ભૂકંપના આ ઝટકા મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.


ભૂકંપના ઝટકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા


ભૂકંપના આ ઝટકા સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વીટર પર #earthquake ટ્રેન્ડ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અનેક નેતાઓએ પણ વીડિયો ટ્વીટર પર શેર કર્યા હતા. આ વીડિયોમાં ભૂકંપના ઝટકાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.  






આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.