ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા, 5.4ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-24 16:32:24

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ સહિત દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ધરતીકંપનું કેન્દ્રબિંદુ નેપાળ-ચીન બોર્ડર નજીક હોવાનું જણાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 ની હતી. જો કે ધરતીકંપના ઝટકાના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનીનાં સમાચાર નથી. 


30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા


ઉત્તરભારતમાં અને  તેમાં પણ દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, બરેલી, મુરાદાબાદ, પીલીભીત, અયોધ્યા, ગોરખપુર સહિતના લગભગ તમામ શહેરોમાં લોકોએ 30 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા. લોકો ભૂકંપના ઝટકા ગભરાઈને ઘરની બહાર દોડી આવ્ય હતા. તે જ પ્રકારે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ઓફિસના ધાબા ઉપર ચઢી ગયા હતા. ભૂકંપના આ ઝટકા મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.


ભૂકંપના ઝટકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા


ભૂકંપના આ ઝટકા સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યા છે. ટ્વીટર પર #earthquake ટ્રેન્ડ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અનેક નેતાઓએ પણ વીડિયો ટ્વીટર પર શેર કર્યા હતા. આ વીડિયોમાં ભૂકંપના ઝટકાની અસર સ્પષ્ટ જોવા મળી હતી.  






આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.