કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ, કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:55:10

કચ્છમાં સમયાતરે  ધરતીકંપના આચકા અનુભવાતા રહે છે. અવારનવાર ભૂકંપથી ધ્રુજતી ધરાના કારણે લોકો ભયના ઓથાર હેઠળ રહે છે. જેમ કે આજે કચ્છમાં ફરી એક વખત ધરતી કંપના આંચકાથી લોકો ભયભીત બન્યા હતાં.


3.4ની તીવ્રતાનો  ભૂકંપ


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.4ની માપવામાં આવી હતી. ધરતીકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. આ ભૂકંપથી જો કે કોઈ નુકસાની થઈ હોવાના સમાચાર મળ્યા નથી. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.