તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં થયા હજારો લોકોના મોત, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-07 09:35:43

સોમવારના દિવસે તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળા ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પડી ગઈ હતી. ભૂંકપના ત્રણ આંચકાનો અનુભવ થયો હતો જેને કારણે પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. 24 કલાકથી બચાવની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મહેનત કરવામાં આવી છે. જેમ જેમ કલાકો વિતી રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર બે જગ્યાઓ પર આવેલા ભૂકંપમાં અંદાજીત 4000થી વધારે લોકોના મોત થઈ ગયા છે. અને આવનાર કલાકોમાં આ આંકડો વધી પણ શકે છે.


અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ  

તુર્કી તેમજ સીરિયામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં અંદાજીત 4000 જેટલા લોકોના મોત થઈ ગયા છે. સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપ બાદ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પ્રમાણે 7.7, 7.6 અને 6ની તીવ્રતા નોંધાઈ હતી. અમુક સેકેન્ડની અંદર જ બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીંગ પડવાને કારણે અનેક લોકો તેની નીચે પણ દબાઈ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો મોતને તો ભેટયા છે પરંતુ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. 


બચાવ કાર્ય માટે ભારતે મોકલી NDRFની ટીમ 

રાહતની કામગીરી જલ્દી થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન વાયુવેગે ચાલી રહ્યું છે. ત્યારે ભારત સહિત અનેક દેશોએ મદદનો હાથ વધાર્યો છે. ભારતે એનડીઆરએફની ટીમને રવાના કરી દીધી છે. જો ભૂકંપના આંચકાની વાત કરીએ તો પહેલો ભૂકંપનો આંચકો તુર્કીના ગજિયાનટેપ નજીક અનુભવાયો હતો. બીજો ભૂકંપ એકિનોઝાહુમાં આવ્યો જ્યારે ત્રીજી વખત ભૂકંપના આંચકાનો અનુભવ ગોકસન પ્રાંતમાં અનુભવાયો હતો. આ વિનાશકારી ભૂકંપને લઈ સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

    




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.