શેરબજારમાં આવ્યો ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા, આ શેરોમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો


  • Published By :
  • Published Date : 2023-12-20 18:26:14

શેરબજારમાં સવારે બમ્પર ઉછાળા બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 930.88 પોઈન્ટ ઘટીને 70,506.31 પોઈન્ટ અને નિફ્ટી 302.95 પોઈન્ટના ઘટાડા સાથે 21,150.15 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે ટ્રેડિંગમાં મિડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. જ્યારે મેટલ, પાવર અને ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ તૂટ્યા છે. પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.


આ શેરો ઘટ્યા 


નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, યુપીએલ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયાના શેરનો સમાવેશ થાય છે. જ્યારે ONGC, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને HDFC બેન્ક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં સામેલ છે. BSE પર 30 માંથી 29 શેર લાલ નિશાનમાં આવ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી BSE ના 30 માંથી 29 શેર લાલ નિશાન પર પહોંચી ગયા હતા, જ્યારે એકમાત્ર શેર(HDFC બેન્ક શેર) માં થોડો વધારો જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે NTPCનો શેર 2.92 ટકા ઘટીને રૂ. 300.75, HCLTECHનો શેર 2.97 ટકા ઘટીને રૂ. 1443.90, M&Mનો શેર 3.20 ટકા ઘટીને રૂ. 1645.50, TAMOTORSનો સ્ટોક ઘટીને રૂ. 3.20 ટકા ઘટીને રૂ. 1645.50 થયો હતો. શેર 3.26 ટકા ઘટીને રૂ. 705.45 થયો હતો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 3.40 ટકા ઘટીને રૂ. 130.80 આવી ગયો હતો.


બજાર ઘટવાના આ છે મોટા કારણો!


બજારમાં અચાનક ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલીનાં કારણે શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 600 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ લગભગ રૂ. 294 કરોડના શેર ખરીદ્યા હતા. આ સિવાય ઘટાડાનું બીજું મોટું કારણ કોરોનાના વધતા કેસ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશભરમાં કોરોનાના નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે અને એક દિવસમાં 614 નવા કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ ઘટાડો બેંક, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.