Earthquake in Nepal : વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-04 10:59:53

નેપાળમાં ભૂકંપે તારાજી સર્જી છે. શુક્રવાર રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ નેપાળના પશ્ચિમી વિસ્તારમાં ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં અંદાજીત 128 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણ અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. ભૂકંપ બાદ રેસ્ક્યુની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી.

  

ઉત્તરભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

3 નવેમ્બરના રોજ નેપાળમાં ગંભીર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ ભૂંકપનો અનુભવ થયો હતો, જેમાં 128 લોકોના મોત થયા છે. જ્યારે 150 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. નેપાળની સેના અને પોલીસ દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના ઝાટકા એટલા બધા તીવ્ર હતા કે ભૂકંપના ઝાટકાનો અનુભવ ઉત્તરભારતના બિહાર, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં પણ અનુભવાયા.40 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટર નીચેનું માનવામાં આવે છે, ન માત્ર નેપાળમાં પરંતુ ભારત તેમજ ચીનમાં પણ આ ભૂકંપને કારણે આંચકાનો અહેસાસ થયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો. 


પ્રભાવિત ક્ષેત્રોની પીએમ લેશે મુલાકાત 

નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓ દ્વારા ઘટનાને લઈ ટ્વિટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે પીએમએ શુક્રવાર રાત્રે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપને કારણે થયેલી માનવીય અને ઘરોની ક્ષતિ પર દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોના બચાવ માટે સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત મળતી માહિતી અનુસાર પીએમ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેવા રવાના પણ થઈ ગયા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!